AnandToday
AnandToday
Monday, 10 Jul 2023 18:30 pm
AnandToday

AnandToday

ઓડ સ્વામિનારાયણ મંદિર ખાતે નિર્મિત હનુમાનજીની વિરાટ પ્રતિમાનું ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે અનાવરણ 

ગુજરાતના વિકાસમાં ભગવાન સ્વામિનારાયણ અને હનુમાન દાદાના આશીર્વાદ મળતા રહે તેવી શુભ ભાવના વ્યક્ત કરવામાં આવી

આણંદ,
 ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આણંદ જિલ્લાના ઓડ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે નિર્મિત હનુમાનજીની વિરાટ પ્રતિમાનું અનાવરણ કરી ગુજરાતના વિકાસમાં ભગવાન સ્વામિનારાયણ અને હનુમાન દાદાના આશીર્વાદ મળતા રહે તેવી શુભ ભાવના વ્યક્ત કરી હતી. 

તેમણે મુખ્યમંત્રીશ્રીના જન્મદિને ઓડ ખાતે આજે હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ થયું છે, તેમ જણાવી ઓડ ખાતે નિર્માણ પામેલી હનુમાનજીની આ વિરાટ પ્રતિમા આસપાસ સ્વચ્છતા જળવાઈ તેની ઉપસ્થિત સર્વેને ચિંતા કરવા અનુરોધ કર્યો હતો. 

આ તકે ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ ગુજરાતના વિકાસમાં મુખ્યમંત્રીશ્રી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહેલા કાર્યને ભગવાન સ્વામિનારાયણ અને હનુમાનજીના આશીર્વાદ મળતા રહેશે તેવી ભાવના વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. જ્યારે સ્વામી શ્રી ભગવત ચરણદાસ સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા.

આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી, સાંસદશ્રી મિતેષભાઇ પટેલ, ધારાસભ્યો સર્વશ્રી યોગેશભાઈ પટેલ, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી ગોવિંદભાઈ પરમાર, અગ્રણીશ્રી રાજેશભાઈ પટેલ, સંતો - મહંતો, અગ્રણીઓ આને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
*****