AnandToday
AnandToday
Thursday, 18 Aug 2022 18:30 pm
AnandToday

AnandToday

આજે તા. 19 ઓગસ્ટ

Today : 19 AUGUST

આજના દિવસની વિશેષતા 

તારીખ તવારીખ

 સંકલન : વિજય એમ. ઠક્કર

* ભારતનાં નવમાં રાષ્ટ્રપતિ (1992-97) શંકર દયાલ શર્માનો મધ્યપ્રદેશનાં ભોપાલમાં જન્મ (1918)
તેઓએ ભારતનાં આઠમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે પણ સેવાઓ આપી છે 
તેઓ 1952માં ભોપાલ રાજ્યનાં સૌથી યુવા મુખ્યમંત્રી બન્યાં અને 1956માં ભોપાલને મધ્યપ્રદેશ રાજ્ય બનાવવા માટે અન્ય પ્રદેશો સાથે ભેળવી દેવાયું, ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રી પદે રહ્યાં
તેમની પુત્રી ગીતાંજલી માકન તથા યુવા સાંસદ અને રાજનેતા લલિત માકન (જમાઈ)ની શીખ ઉગ્રવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી 

* ઈન્ફોસિસ ફાઉન્ડેશનનાં અધ્યક્ષ, ગેટ્સ ફાઉન્ડેશનની જાહેર આરોગ્ય સંભાળની પહેલનાં સભ્ય, ઈન્ફોસિસનાં સહ સ્થાપક એન.આર. નારાયણમૂર્તિનાં પત્ની અને પદ્મશ્રીથી સન્માનિત સુધા મૂર્તિ (કુલકર્ણી)નો કર્ણાટમાં જન્મ (1950)
તેઓ એન્જિનિયરિંગ શિક્ષક, કન્નડ, મરાઠી અને અંગ્રેજી લેખક તેમજ સામાજિક કાર્યકર છે

* આંતરરાષ્ટ્રીય માઈક્રોસોફ્ટ કંપનીના સીઇઓ બનેલ ભારતીય-અમેરિકન બિઝનેસ એક્ઝિક્યુટિવ સત્ય નાડેલાનો હૈદરાબાદ ખાતે જન્મ (1967)

* યુનાઇટેડ સ્ટેટ્સના 42મા રાષ્ટ્ર પ્રમુખ (1993-2001) બિલ ક્લિન્ટન (વિલિયમ જેફરસન ક્લિન્ટન)નો જન્મ (1946)

* કોવલુર ખાતે દેશનું સૌથી મોટું ટેલિસ્કોપના  સ્થાપક તથા ડૉ.શાંતિ સ્વરૂપ ભટનાગર એવૉર્ડ  અને પદ્મભૂષણથી સન્માનિત ખગોળશાસ્ત્રી ડૉ. મનાલી કે. વેણુ બાપ્પુનું અવસાન (1982)

* અર્જુન એવોર્ડ, રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ અને પદ્મ શ્રીથી સન્માનિત શૂટર વિજય કુમારનો હિમાચલ પ્રદેશમાં જન્મ (1985)
વિજયકુમાર ભારતીય સેનામાં ફરજ બજાવે છે અને કોમનવેલ્થ ગેમ્સ-2010માં ત્રણ સુવર્ણ પદક અને એક રજત પદક જીત્યા અને  ઓસ્ટ્રેલિયામાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સ-2006માં 2 સુવર્ણપદક જીતીને પોતાની નિશાનીબાજીનાં અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી

* ભારતીય ઇતિહાસકાર, પુરાતત્વવિદ્, એપિગ્રાફિસ્ટ અને ભારતીય સિક્કાશાસ્ત્રમાં સત્તાધિકારી મૈસુર હટ્ટી કૃષ્ણ આયંગરનો જન્મ (1892)

* પદ્મ વિભૂષણથી સન્માનિત અને ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર કેન્દ્રીય કેબિનેટ મંત્રી પૈકીના સરદાર સ્વરણ સિંહનો જન્મ (1907)

* પદ્મ ભૂષણથી સન્માનિત હિન્દી નવલકથાકાર, સાહિત્યિક ઈતિહાસકાર, નિબંધકાર, વિવેચક અને વિદ્વાન હઝારી પ્રસાદ દ્વિવેદીનો ઉત્તરપ્રદેશ રાજ્યમાં જન્મ (1907)

* વિમાન ઉડ્ડયનનું સ્વપ્ન સાકાર કરનાર ‘રાઈટબંધુ’ તરીકે જાણીતાં થયેલાં બન્ને ભાઈઓમાંના નાનાભાઈ ઓરવિલ રાઈટનો ઓહિયો ખાતે જન્મ (1871) 

* પદ્મ એવોર્ડથી સન્માનિત થનારા સૌથી વૃદ્ધ વ્યક્તિ અને ગ્વાલિયર ઘરાનાનાં ગાયક ઉસ્તાદ રશીદ ખાનનો જન્મ (1908)

* ઉર્દૂ ગઝલ અને નઝ્મના શાયર જાન નિસાર અખ્તરનું મુંબઈમાં અવસાન (1976)

* હિન્દી ફિલ્મ અભિનેતા, દિગ્દર્શક અને લેખક-નાટ્યકાર ઉત્પલ દત્તનું કોલકાતા ખાતે અવસાન (1993)

* આસામમાં બોડો સાહિત્ય સભા ('બોડો સાહિત્ય સંઘ')ના પ્રમુખ બિનેશ્ર્વર બ્રહ્માનું ગૌહાટી ખાતે અવસાન (2002)

* હિન્દી ફિલ્મ અભિનેતા અને નિર્દેશક માસ્ટર વિનાયકનું મુંબઈ ખાતે અવસાન (1947)

* હિન્દી ફિલ્મ નિર્દેશક અને પટકથા લેખક કેન ઘોષનો મુંબઈમાં જન્મ (1966)

* અમેરિકન અભિનેત્રી, પટકથા લેખક, બાળકોના લેખક, બાળ-અધિકાર કાર્યકર્તા અને મહાન અર્થશાસ્ત્રી આમત્ય સેનના દિકરી નંદના સેનનો કોલકાતા ખાતે જન્મ (1967)

* મિસ્ટર ઈન્ડિયા 2015ના વિજેતા અને મિસ્ટર વર્લ્ડ 2016નો તાજ પહેરનાર પ્રથમ એશિયન મોડલ રોહિત ખંડેલવાલનો હૈદરાબાદ ખાતે જન્મ (1989)

* હિન્દી ટેલિવિઝન શોમાં વિવિધ ટીવી જાહેરાતો અને ભૂમિકાઓ કરતા અભિનેતા આદિત્ય સિંહ રાજપૂતનો ઉત્તરાખંડ રાજ્યમાં જન્મ (1990)

* હિન્દી ભાષાની ફિલ્મો અને ટેલિવિઝનમાં અભિનેત્રી અને મોડેલ મધુરિમા તુલીનો ઓડિશા રાજ્યમાં જન્મ (1986)

* અંગ્રેજી સાહિત્યમાં પ્રભાવશાળી કાવ્યકૃતિઓ દ્વારા પ્રદાન આપનારા કવિ જ્હોન ડ્રાયડનનો ઇંગ્લેન્ડમાં જન્મ (1631)
તેઓ કવિ ઉપરાંત વિવેચક, અનુવાદક અને નાટ્યકાર પણ હતાં. તેમની કૃતિઓએ ઇંગ્લેન્ડનાં પુનઃસ્થાપનાનાં સમયગાળામાં અસરકારક પ્રભાવ પાડ્યો હતો
તેમણે ‘ટુ માય લોર્ડ ચાન્સેલર’, ‘એબ્સાલોમ એન્ડ એકિટોફેલ’, ‘મેકફ્લેકન’ જેવી કૃતિઓ રચી હતી. તેઓ માત્ર કવિ જ નહીં, પરંતુ સમાજ સુધારક પણ હતાં. ઈંગ્લેન્ડમાં ક્રાંતિનાં સમયગાળામાં તેમણે અને તેમની કવિતાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી