AnandToday
AnandToday
Tuesday, 11 Feb 2025 18:30 pm
AnandToday

AnandToday

જય મહારાજના ગગન ભેદી નાદ સાથે નડિયાદ સંતરામ મંદિરમાં સાકર વર્ષા

નડિયાદ સંતરામ મંદિરમાં 194મો સમાધિ મહોત્સવની ઉજવણી

500 કિલો કોપરું અને 3 હજાર કીલો સાકરની ઉછામણી 

નડિયાદ
નડિયાદમાં સેવા, આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન સંતરામ મંદિર સમગ્ર ગુજરાતનું નાક છે. ત્યારે આજે બુધવારે મહાસુદ પૂનમ (માઘી પૂનમ)ની દિવ્ય ઉજવણી કરવામાં આવી છે. નડિયાદના સંતરામ મંદિરમાં આજે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો 194મા સમાધિ મહોત્સવની ઉજવણી દરમિયાન દિવ્ય જ્યોત સામે નતમસ્તક થતાં શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં ઉમટી પડયા હતા. પરંપરાગત રીતે ઓમ નાદ કર્યા બાદ સાકર વર્ષા શરૂ કરવામાં આવી હતી. સાંજે 6.50ના અરસામાં સંતોની ઉપસ્થિતિમાં સતત 10  મિનિટ સુધી 500 કિલો કોપરૂ અને 3 હજાર કિલો સાકરની ઉછામણી કરાઈ હતી.

 સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમે બપોરથી જ શ્રધ્ધાળુઓની ભીડ જામતી જોવા મળી હતી. તાપમાં પણ લોકો 'જય મહારાજ'ની ધૂન કરી, દિવ્ય અખંડ જ્યોત સમક્ષ નતમસ્તક થતાં જોવા મળ્યા હતા. સાકરવર્ષાનો સમય સાંજે હતો. જેમ જેમ આ સમય નજીક આવતા તેમ તેમ ખાલી દેખાતાં મંદિર પરિસરમાં શ્રધ્ધાળુઓની ભીડ જામવા લાગી હતી અને સમી સાંજે મંદિર પરિસરમાં ઉભા રહેવાની પણ જગ્યા ન હતી. 

સાંજે 6.48 કલાકે વર્ષમાં એકજવાર થતી આરતીના દર્શનનો લ્હાવો ભક્તોએ લીધો હતો.સાકર કોપરા ના પ્રસાદની એક એક કણ મેળવવા માટે રીતસર પડાપડી થઈ હતી. મંદિર પરિસરમાં સ્વયંમ સેવકો દ્વારા ઠેરઠેર નાના સ્ટેજ બનાવાયા હતા અને ત્યાંથી સાકરની ઉછામણી કરતા અને ભક્તો આ પ્રસાદીને ઝીલી હતી. સાકરવર્ષા પૂર્ણ થયા બાદ પણ ભક્તોએ મંદિર પરિસરમાં સાકર વીણીને પણ પ્રસાદી ગ્રહણ કરી હતી. 2 કલાક મંદિર પરિસરનો માહોલ અલૌકિક બની ગયો હતો.