AnandToday
AnandToday
Saturday, 10 Aug 2024 18:30 pm
AnandToday

AnandToday

આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગ કામ ને કારણે 11 ઓગસ્ટ થી 10 સપ્ટેમ્બર  સુધી મેમુ ટ્રેનો રદ રહેશે.

આણંદ ટુડે | આણંદ
પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરાસેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે બ્લોકને કારણે 11 ઓગસ્ટ થી 10 સપ્ટેમ્બર   સુધી મેમુટ્રેનો રદ રહેશે.

1. ટ્રેન નંબર 09131આણંદ – ગોધરા મેમુ ટ્રેન 11 ઓગસ્ટ થી 10 સપ્ટેમ્બર સુધી રદ રહેશે.
2. ટ્રેન નંબર 09132 ગોધરા – આણંદ મેમુ ટ્રેન 11 ઓગસ્ટ થી 10 સપ્ટેમ્બર સુધી રદ રહેશે.
3. ટ્રેન નંબર 09379 આણંદ - ડાકોર મેમુ ટ્રેન 11 ઓગસ્ટ થી 10 સપ્ટેમ્બર સુધી રદ રહેશે.
4. ટ્રેન નંબર 09380 ડાકોર – આણંદ મેમુ ટ્રેન 11 ઓગસ્ટ થી 10 સપ્ટેમ્બર સુધી રદ રહેશે.

ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો:


• ટ્રેન નંબર 19319 વેરાવળ – ઈન્દોરમહામનાએક્સપ્રેસ 14.08.24, 21.08.24, 28.08.24, અને 04.09.24 ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયાગેરતપુર - આણંદ - બાજવા - છાયાપુરી - ગોધરાથઈને ચલાવવામાં આવશે.
• ટ્રેન નંબર 20936 ઈન્દોર – ગાંધીધામ સુપરફાસ્ટ 11.08.24, 18.8.24, 25.08.24, 01.09.24, અને 08.09.24 ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયાગોધરા - છાયાપુરી - બાજવા - આણંદ - ગેરતપુરથઈને ચલાવવામાં આવશે.

રેલવે મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનનાઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.